રાજકોટ શહેરના મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, જેથી રાજકોટ જીલ્લા બેંકના ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાનો મોટો ધડાકો થયો છે. જયેશ રાદડિયા બાદ જીલ્લા સહકારી બેંકના કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ જીલ્લા બેંકના ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે તમામ ૧૪ કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક સાથે ૧૪ કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment